ક્રિએટિન એ શરીરમાં કુદરતી રીતે બનતું અને મસલ્સમાં સંગ્રહિત થતું એક કમ્પાઉન્ડ છે. તેનું મુખ્ય કાર્ય હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ દરમિયાન ATP બનાવીને સ્નાયુઓને ઝડપથી ઊર્જા પૂરી પાડવાનું છે, જેથી સ્નાયુઓની તાકાત અને કાર્યક્ષમતા વધે છે.
દૈનિક જરૂરિયાત અને સ્ત્રોત
-
દૈનિક જરૂરિયાત: શરીરને રોજ આશરે ૧ થી ૨ ગ્રામ ક્રિએટિનની જરૂર હોય છે.
-
સ્ત્રોત: શરીરમાં જરૂરી ક્રિએટિનનો અડધો ભાગ લિવર, કિડની અને સ્વાદુપિંડમાં કુદરતી રીતે બને છે અને બાકીનો આહારમાંથી મળે છે.
-
ખોરાક: તે મુખ્યત્વે માંસ અને માછલી જેવા નોન-વેજ આહારમાંથી મળે છે. વેજિટેરિયન આહારમાં તેનું પ્રમાણ નહિવત્ હોવાથી જિમ જતાં શાકાહારીઓને સપ્લીમેન્ટની જરૂર પડી શકે છે.
આડઅસરો અને કોણે ન લેવું જોઈએ?
-
સંભવિત આડઅસરો: વધુ પડતા કે ખોટા ઉપયોગથી ચક્કર આવવા, ઉબકા-ઊલટી, ઝાડા અને વધુ પડતો પરસેવો થવા જેવી આડઅસરો થઈ શકે છે.
-
કોણે ન લેવું: કિડની કે લિવરની બીમારી ધરાવતા દર્દીઓએ, સગર્ભા તથા સ્તનપાન કરાવતી મહિલાઓએ અને ૧૮ વર્ષથી ઓછી વયના સગીરોએ ડૉક્ટરની સલાહ વિના તે ન લેવું જોઈએ.
૫ મહત્વપૂર્ણ સાવચેતીઓ
-
૧. નિષ્ણાતની સલાહ: ક્રિએટિન સપ્લીમેન્ટ શરૂ કરતા પહેલાં હંમેશાં ડૉક્ટર કે ફિટનેસ એક્સપર્ટની સલાહ લેવી.
-
૨. પુષ્કળ પાણી પીવું: ક્રિએટિન લેતી વખતે શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
-
૩. યોગ્ય ડોઝ: મરજી મુજબ વધારે ડોઝ લેવાને બદલે શારીરિક જરૂરિયાત મુજબ જ નિયમિત ડોઝ લેવો.
-
૪. અન્ય દવાઓ સાથે સાવધાની: જો કોઈ અન્ય તબીબી સારવાર કે દવાઓ ચાલતી હોય તો ડૉક્ટરને જાણ કરીને જ સપ્લીમેન્ટ શરૂ કરવું.
-
૫. ઓચિંતું બંધ ન કરવું: સપ્લીમેન્ટ અચાનક બંધ કરવાથી થોડા સમય માટે થાક, મસલ માસ ઘટવો કે વજન ઘટવા જેવી અસરો જોવા મળી શકે છે.









