દેવભૂમિ દ્વારકામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના શિખર પર લહેરાયો તિરંગો

દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર ખાતે આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે જગતમંદિરના શિખર પર દેશની શાન સમો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

આધ્યાત્મકતા સાથે રાષ્ટ્રભક્તિનો અદભુત સમન્વય

  • વિશેષ નજારો: મંદિરના શિખર પર લહેરાતા તિરંગા સાથે ભગવાન દ્વારકાધીશની પાવન નગરી દેશપ્રેમના રંગે રંગાઈ હતી. આ મનોરમ દ્રશ્ય નિહાળી દર્શનાર્થે આવેલા દેશભરના ભક્તો અને સ્થાનિકોમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.

  • હર ઘર તિરંગાનો સંદેશ: જગતમંદિરથી દેશવાસીઓને સંદેશ આપવામાં આવ્યો કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. દરેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ ગૌરવપૂર્ણ અને સફળ બનાવે.

Leave a Comment

और पढ़ें